13
13 / 2026
Spiritual Trip
Jaisalmer
25
25 / 2026
Malaysia
13
13 / 2026
Singapore
Empowering Minds, Shaping Futures
The Peace of Mind Foundation was established in 2006 in Rajkot, Gujarat (India), with the mission of promoting inner well-being and holistic living by Saman Shrutpragyaji — a spiritual mentor, educator, author, and meditation teacher.
The Foundation is dedicated to empowering individuals and communities through spiritual growth, education, and service. Our mission is to spread inner peace, purposeful lifestyle, balanced living, and holistic well-being.
Our Mission
Transforming lives through self-discovery, learning, and acts of kindness.
Our Vision
Empowering individuals to realize their full potential and make a positive impact.
Our Values
Service by selfless giving and contributing to the greater good.
Projects
Project Aastha
Project Aastha harnesses the collective expertise and network of Peace of Mind Foundation to empower financially underprivileged, academically bright students, fueling their potential and determination to succeed.
Learn More
Project Manzil
Project Manzil empowers individuals with the right skills and attitude to drive positive change through purpose-driven voluntary efforts, fostering collaborations with like-minded organizations to create a lasting impact.
Learn MoreTransforming Lives, Transforming the World
Yoga and Meditation
Focusing inner calm and balance
Educational Support
Empowering through knowledge Power
Charitable Activities
Making a difference in community
Spiritual Discourses
Exploring the true potential within
Shrutvaani App
A Mobile app to learn about Saman Shrutpragyaji and get access to his discourses and guidance.
Real Stories, Real Impact
What I deeply appreciate about Samanji is his refreshing candidness and practical approach to spirituality. As a "pseudo-monk" who embraces modern technology while maintaining monastic principles, he ...
Khushi Jain (Chicago)
While I had an amazing time participating in Project Aastha, I do have a couple of suggestions for future programs. For the next Project Aastha, I recommend incorporating more than just Q&A sessions. ...
Siona Shah (Austin, TX)
My name is Pranay Mohnot, and I had a fulfilling experience in Project Aastha 2024/2025. While I enjoyed interacting with school children through the Q&A sessions, I would’ve appreciated an after-ac...
Pranay Mohnot (Singapore)
Nurturing Mind, Body, and Spirit
Oct 30, 2025
સોલસેટ: (આત્મસેતુ – પોતાને ઓળખવાનો પંથ): સમણ શ્રુતપ્રજ્ઞજી
આ બધા પડદાની પાછળ એક અગમ્ય તત્વ છે – આત્મસેતુ. જે આપણને જીવમાંથી લઈ જીવાત્મા સુધી પહોંચાડે છે. જ્યાં બધું મૌન છે, જ્યાં બધું શાંત છે.
જૈનધર્મમાં "સ્વાધ્યાય" અને "સમ્યકદર્શન" એ આત્માનું ગૌરવગાન છે. યુવાનો માટે અહીં સૌથી મોટું કાર્ય છે – પોતાની અંદર ઉતરવાનું. રોજની કશમકશ વચ્ચે પોતાને થોડી ક્ષણો આપવા – સૂફી ભાસ્કરના શબ્દોમાં કહીએ તો: "એક પળ વિતાવું છું, જ્યાં હું માત્ર હું છું."
આ સોલસેટ એ છે, જ્યાં ધ્યાનનો અભ્યાસ માટે તણાવને દૂર કરવા માટે નહીં, પણ આત્માનો અહેસાસ કરવા માટે થાય છે. જયાં ધ્યાન માત્ર એક ટેકનિક નથી, પણ જીવનશૈલી બને છે. જયાં પ્રશ્ન એ નથી કે હું શું છું, પણ પ્રશ્ન એ છે કે હું કોણ છું?
જ્યારે યુવાન પોતાના અંદરના તત્ત્વ સાથે જોડાઈ જાય છે, ત્યારે બાહ્ય વિશ્વની શૂરવીરતા ગૌણ બની જાય છે – અને અંતરમાં શાંતિનો શહેનશાહ ઉભો થાય છે.
આંતરિક સામ્રાજ્ય બનાવવું એ કંઈ ખાલી ધ્યાન અને વિચારસીમામાં આવે એટલી જ વાત નથી – એ તો દિનચર્યાની ગૌરવશાળી ક્રાંતિ છે.
*માઇન્ડસેટ આપશે દિશા, હાર્ટસેટ આપશે ઊર્જા, હેલ્થસેટ આપશે સાધન અને સોલસેટ આપશે સાધ્ય.*
આ ચાર તત્વો સાથે આજે જો યુવાન પોતાના આંતરિક સામ્રાજ્યનું સર્જન કરે – તો તે માત્ર પોતાનું નહિ, દુનિયાનું ભવિષ્ય પણ ઉજળું બનાવી શકે છે.
*જૈનમંત્ર છે:*
"અપ્પા કાહા વિ ઝાણેહિ – પોતાને જાણો, પોતે જ પોતાનું શ્રેષ્ઠ સાધન છે."
તો ચાલો, આજે આપણી અંદર એક શાંત, શાસ્ત્રયુક્ત, શાંતિમય અંદરનું સામ્રાજ્ય ઊભું કરીએ – જે ક્યારેય ખંડિત ન થાય, અને જ્યાં યુવાન રાજા નહીં, ગૃહસ્થીમાં રહીને પણ એક સાચો સંત બની શકે છે.
Oct 30, 2025
હેલ્થસેટ: (શરીર એ સાધન છે – સાધ્ય નહીં): સમણ શ્રુતપ્રજ્ઞજી
શરીર એ ઉપકરણ છે – અને જયારે એ સત્વથી ભરેલું હોય ત્યારે જ આપણે જ્ઞાન, સાધના અને સેવા તરફ આગળ વધી શકીએ. પણ આજના યુવાનોનું શરીર ઘણીવાર પોતાને જ સંકેતો આપે છે – ઊંઘ ઘટી છે, આહાર અયોગ્ય છે, યોગ ભૂલાઈ ગયો છે, અને આખું જીવન તંત્ર અસંતુલિત છે.
જૈનધર્મ અમૂલ્ય પદ્ધતિ આપે છે – સાત્વિક આહાર, ઉપવાસ, રાત્રિભોજન ત્યાગ, સમયસર સૂવું, અને શરીર પ્રત્યે જાગૃતિ કેળવવી. સાચું હેલ્થસેટ એ છે જ્યાં આપણે માત્ર ભોગ કેન્દ્રીત જીવવા માટે નહિ, પરંતુ ઉચ્ચ ગુણવત્તા વાળું જીવન જીવવા માટે શરીરને સ્વસ્થ રાખીએ.
કસરત, યોગ અને શ્વાસ- વ્યાયામ એ માત્ર શરીરને જ શક્તિશાળી બનાવે છે એવું નથી પણ સાથોસાથ આપણી આંતરિક ઉર્જામાં વધારો કરે છે. આ ઉર્જા માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેનું સુત્રધાર બની જાય છે. સાચો યુવાન એ છે, જે પોતાનું આરોગ્ય જાળવવાને પોતાનો ધર્મ સમજે. કારણ કે આરોગ્ય વિના કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ – ધ્યાનથી લઈને સેવા સુધી – સંભવ નથી.
આજ પૂરતું નહીં પણ હમેશા માટે – આપણું શરીર એ આપણું મંદિર છે એમ સમજી આરોગ્યના આટલા નિયમો દ્રઢતાથી પાડવા જોઈએ:
હેલ્થ સેટના ઉત્તમ વિકાસ માટેના પગલાં:
*કસરત (Exercise):*
દરરોજ સવારમાં ઉઠીને પરસેવો આવે એટલી કસરત કરવી જોઈએ.
સાયકલ ચલાવવી, દોડવું, કૂદવું અને યોગાસન કરવાં મુખ્ય કસરતના પ્રકારો છે.
સૂર્યોદય પહેલા કસરત કરવાની ટેવ તમારા આખા દિવસને ઊર્જાવાન બનાવે છે. કસરતથી ડોપામાઇનનો સ્ત્રાવ થાય છે જેનાથી નવી ઊર્જા, આનંદ અને ઉત્તમ વિચારશક્તિ મળે છે.
*વિશ્રામ (Rest):*
દિવસ દરમ્યાન પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. દરરોજ 10:30 વાગ્યા સુધીમાં ઊંઘવાનું શેડ્યુલ રાખવું. સોશિયલ મીડિયા જેવા વ્યસનોથી બચવું અને માનસિક આરામ માટે ધ્યાન કે પ્રસન્નતાપૂર્ણ પ્રવૃત્તિઓ અપનાવવી.
*સાત્વિક આહાર (Healthy Diet):*
ભોજનની પદ્ધતિ સાત્વિક, પૌષ્ટિક અને તાજી હોવી જોઈએ.
~ દર ત્રણ વર્ષે આરોગ્ય પ્રમાણે આહાર પદ્ધતિમાં ફેરફાર કરવો યોગ્ય રહે છે.
~જાપાની પ્રેરણા મુજબ, ૨૦% પેટ ખાલી રાખીને ખાવું દીર્ઘ આયુષ્ય અને નિરોગી શરીર માટે લાભદાયી છે. જેને જૈન ધર્મ ઉણોદરી કહે છે.
પ્રાચીન આયુર્વેદ જણાવે છે: *"તમારું ભોજન જ તમારું ઔષધ છે."*
*યોગ અને ધ્યાન (Yoga & Meditation):*
યોગ બિમારી પછી નહીં, પણ બિમારી પહેલાંથી શરૂ કરો — એ જ સાચી આરોગ્ય જાગૃતિ છે. બિમારી આવ્યા પછી યોગ કરવો એ મજબૂરી છે.
*પરંપરાગત આરોગ્ય નિયમો (Traditional Health Practices):*
~ વહેલા ઊઠવું
~ નિયમિત ઉપવાસ
~ પ્રકૃતિમાં ફરવું
~ તેલ માલિશ
~ એક્યુપંકચર/ એક્યુપ્રેશર
~ પોષક સપ્લિમેન્ટ્સ
Oct 30, 2025
હાર્ટસેટ: (લાગણીઓનો ધર્મપથ): સમણ શ્રુતપ્રજ્ઞજી
માઈન્ડસેટ ગોઠવ્યા પછી હાર્ટસેટ ગોઠવવું આવશ્યક છે. દુ:ખ, ક્રોધ, નિરાશા, હતાશા, દ્વેષ જેવી દબાયેલી લાગણીઓમાંથી મુક્ત થવું જરૂરી છે. દબાયેલી લાગણીઓના ઢગલાં આપણની પ્રતિભા અને ઊર્જાને દબાવી દે છે. જુના લાગણીના ઘાવોને ઓળખી બહાર લાવવાનું અને ઉપચાર કરવાનું કામ અત્યંત જરૂરી છે.
આઘાત કોઈ નકારાત્મક શબ્દ નથી; તે જીવનનો શિક્ષક બની શકે છે. એ મુશ્કેલીઓમાંથી પસાર થવાનું શીખવે છે. ખોવાયેલ સર્જનાત્મકતા પાછી લાવવાનું કામ કરે છે. ભરોસાપાત્રતા, વિનમ્રતા અને હૃદયની કોમળતાનું સાચું સ્વરૂપ પેદા કરે છે. જીવનમાં ભેગા થયેલા આઘાતો તમારી સૌથી મોટી પાઠશાળા બની શકે છે. જો તમે આ દુ:ખદ ઘટનાઓ પચાવી શકો તો તમારો કલાત્મક ઢબે વિકાસ થાય છે, સંવેદનશીલતા અને આધ્યાત્મિક સ્વતંત્રતા ફૂટી નીકળશે. દબાયેલી લાગણીઓને ખોલી શકશો તો તમારો ઈશ્વરીય શક્તિ સ્ત્રોત ખીલશે.
જૂના અને હૃદયની ગુફામાં દબાયેલા આઘાતો હટાવ્યા વગર જીવનમાં સફળતા, આનંદ અને શાંતિ શક્ય નથી. હૃદય અને મગજની અંદરની શુદ્ધિ કરવી તાત્કાલિક જરૂરી છે. તેનાથી તમારી ગ્રહણશક્તિ, સમજશક્તિ અને સ્ફૂર્તિમાં નોંધપાત્ર સુધારો થાય છે. વેદના અને જૂના ઘાવ મગજને ધૂંધળું અને હૃદયને મૂર્છિત બનાવે છે. જ્યારે તમે દિલની પીડાને ઓળખો છો, એમને સ્વીકારો છો અને હીલીંગ તરફ આગળ વધો છો, ત્યારે તમે ખરેખર વધુ સ્વસ્થ, વધુ ખુશ અને વધુ મુક્ત બની શકો છો.
આજના યુવાનો ઘણી વખત પોતાની લાગણીઓને ગુપ્ત રાખે છે, છુપાવીને રાખે છે, અને આમ છતાં એ દુનિયામાં બધું સાબિત કરવા પાછો ઉત્સુક રહે છે. પરંતુ સાચી શક્તિ તો પોતાની ભીતરના તોફાનો સાથે સંવાદ સાધવામાં છે.
જૈન મૂલ્યો કહે છે – *"અહિંસા પરમો ધર્મઃ"*, અને એ અહિંસા માત્ર બહાર બીજા સાથે કરવાની નથી – સૌથી પહેલા તો તે તમારી પોતાની લાગણીઓ સાથે કરવાની છે. જયાં તમને દુઃખ મળ્યું છે, જયાં કોઈએ દુઃખ આપ્યું છે, ત્યાં તમે શું શીખ્યા એ મહત્વનું છે. પોતાની જાતને પોતાની લાગણીઓથી ઘાયલ ન કરવું એ સાચી અહિંસા છે.
અન્યથા આપણા હૃદયમાં દબાયેલી ઝેરી લાગણીઓ – ગુસ્સો, ક્રોધ, વૈર અને અફસોસ – એક એક કરીને આપણા વ્યક્તિત્વની પાંખો કાપી નાખે છે. ખરા હાર્ટસેટમાં તો ક્ષમાયુક્ત વ્યવહાર અને સદ્ભાવ છે. ક્ષમાપના માત્ર વચનમાં અને બીજાના પ્રત્યે જ નહીં, પરંતુ હૃદયની અંદર જે દબાયેલી અગણિત લાગણીઓ છે એને માફ કરી દેવામાં છે.
ટ્રોમા અને આઘાત જે આપણા જીવનમાં અવાર નવાર આવતા હોય છે, એ ખરેખર અભિશાપ નથી – સાચા અર્થમાં તે જ આપણી પાઠશાળા છે. એમાંથી બોધપાઠ શીખીએ તો જ આપણું હૃદય શુદ્ધ થાય. જેમ પંખીઓ પોતાના ઘાવો સહન કરી ઊંચા આસમાને ઊડે છે, તેમ આપણે પણ આપણા ભીતરના ઘાવને સમજીને, યોગ્ય જગ્યાએ પ્રગટ કરીને આપણી પોતાની જ આંતરિક ઊંચાઈ સુધી પહોંચી શકીએ છીએ. હાર્ટસેટ એ છે – સૌંદર્ય સાથે જીવન જીવવાની કળા. જ્યાં સાચા અર્થમાં કૃપા, કૃતજ્ઞતા અને ભવ્યતાનો આરંભ થાય છે.